
તા.૨-૧૧-૨૦૨૫ રવિવારે દેવ ઉઠી અગિયારસના પવિત્ર દિવસે ૩-૦૦-થી ૬-૦૦ દરમ્યાન ભગવાન સત્યનારાયણ કથાનું શ્રવણ રસપાન તથા તુલસી વિવાહ નિમિત્તે તુલસી પૂજન, સંગીતમય વાતાવરણમાં સુમધુર સંગીત વૃંદ સાથે શ્રધ્ધા પૂર્વક શ્રી પ્રવીણભાઈ પટેલે ગાયત્રી પરિવારના પરિજનનો અને આમંત્રિત મહેમાનો સગા સંબંધીઓની ઉપસ્થિતમાં દક્ષાબેન ગીરીશભાઈ પટેલના નિવાસસ્થાને નવાવાડજ ખાતે ક્રીશ્ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ઓફિસર સોસાયટી,ભાવસાર હોસ્ટેલ પાસે કરાવ્યું હતું હાજર સૌ આમંત્રિતો રસપૂર્વક ઉત્સાહથી ભક્તિમય બની કથાનું શ્રવણ કર્યું અને સૌએ સાથે મહાપ્રસાદ- ભોજન ગ્રહણ કર્યું હતું. દરેક ભાવીભક્તોને પૂજનઅર્ચન કરેલ સત્યનારાયણ ભગવાનનો ફોટો અર્પણ કરવામાં આવ્યો.ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારના સ્વજનો અને ગાયત્રી પરિવારના સ્વજનો હાજર રહ્યા હતા






