શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) તરફથીઆજરોજ તા: ૨૮/૧૨/૨૦૨૫ , રવિવારના રોજ અગિયારશ માતાજીનાં મંદિર, નવા વાડજ, અમદાવાદ ખાતે વિધવા -ત્યકતા બહેનોને અનાજની કીટ ના વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ,મંત્રીશ્રી વસંતભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઇ પટેલ, કૈલાસબેન બાબુભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ, જિગીષાબેન પટેલ, આર સી પટેલ, પ્રો વાડીભાઈ પટેલ તેમજ વિશાળ સંખ્યામાં વિધવા- ત્યકતા બહેનો હાજર રહ્યા હતા.