
તા:- 11 /2 /26 ને બુધવારના રોજ પાટીદાર સમાજની જરૂરિયાત મંદને વિધવા ત્યકતા બહેનોને અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું. અનાજની કીટમાં ઘઉંનોલોટ*- *ચોખા*- *તેલ-* ઘી – મસાલા – મેંદો – રવો – બેસન – *તુવેરદાળ– *મગનીદાળ – બ્લેન્કેટ ટુવાલ – સાબુ, – ટુથપેસ્ટ વસ્તુઓ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના *
પ્રમુખશ્રી ભીખુભાઈ* પટેલ *
મહામંત્રી શ્રી* વસંતભાઈ પટેલ (એમરોન બેટરી)
ભાઈ શ્રી વિજયભાઈ પટેલે હાજરી આપી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરી હતી. સંસ્થામાં ચાલતા સીવણના વર્ગોમાં કોર્સ પુરા કરેલ બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા.
રીનલ ફાઉન્ડેશન તરફથી બહેનો માટે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકઅપ કરવામાં આવ્યું. રીનલ ફાઉન્ડેશન માંથી આવેલ જયેશભાઈએ બહેનોને ખૂબ જ સુંદર રીતે કિડની ફંક્શન ની વાત સમજાવી હતી.
પ્રમુખશ્રી ભીખુભાઈએ સંસ્થાનો પરિચય આપ્યો. પ્રમુખ શ્રી જીગીશાબેન પટેલે મહિલા પાંખની વાત કરી. મહામંત્રી શ્રી કલ્પનાબેને આભાર વિધિ કરી.
કાર્યક્રમની અંતે સૌ બહેનોએ નાસ્તો અને ચા -પાણી કર્યા હતા.





