તા.૭-૯-૨૦૨૫ રવિવારે ભાદરવા સુદ પૂનમે સાંજે ૩-૦૦થી ૬-૦૦ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આદ્યા સંસ્થાપક-સંરક્ષક પ.પૂ.વંદનીય માતાજી ભગવતી દેવી શર્માના મહા પ્રયાણ દિવસ નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ ગાયત્રી મહા મંત્રો-મહામૃત્યુંજ્યના મંંત્રોના મંત્રોચ્ચાર-ભજન-સંગીત સાથે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ, ફોર્ટ, આશાપલ્લી હોપ્સ,નોબલ,વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે શ્રી પ્રવીણભાઈ એમ.પટેલના સંગીત વૃંદ સાથે તથા, વડીલોને નાસ્તો તથા ચા કોફી, વૃક્ષારોપણ,એક્યુપ્રેશર સારવાર,ગાયત્રી મંત્ર લેખન બુક,ચાલીસા,સત્ સંકલ્પ પત્ર, તથા ફિજીઓથેરાપી બોલનું નિ:શુલ્ક વિતરણનો કાર્યક્રમ સિનિયર સિટીઝન હોમ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,જૂના વાડજ સર્કલ નજીક,જૂના વાડજ, અમદાવાદ ખાતે સૌએ સમૂહમાં શ્રધ્ધાપૂર્વક વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના વડીલોની ઉપસ્થિતીમા ઉજવાયો.
લાયન્સ ક્લબ તથા ગાયત્રી પરિવારના સ્વજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Worldwide Views: 195
Read Time:1 Minute, 42 Second






