
Thakor Samaj Shikshan Samiti Sanand. Nutan Varsh Sneh Milan 09.11.2025.
Mr..Pratapsinhji S.Rathod.
President ..Mob.9429131106.
Sanand Ahmedabad.
સાણંદ તાલુકા ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
પીપણ,ગણાસર,સોયલા અને મોટીદેવતીના યજમાન પદે સ્નેહ મિલન કાર્યક્રમ
સાણંદ તાલુકા ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સાણંદ તાલુકાના ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ 9 નવેમ્બર રામદેવપીરનું મંદિર પીપણ ગામે સંપન્ન થયો
જેમાં કેશાજી ઠાકોર-નિવૃત આચાર્ય દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ પાલડી ,ડૉ પાર્થભાઈ ભટ્ટ પ્રાધ્યાપક ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદ તથા મહેન્દ્રભાઈ ઠાકોર સરપંચ ભાત ગામ અને ઠાકોર સમાજના સરપંચ તા-જી સદસ્ય અને આગેવાનોના હસ્તે દિપ પ્રાગ્યટ્ય કરવામાં આવ્યું.
સ્નેહ મિલનમાં શિક્ષણવિદ્દ સમાજની ચિંતા કરતા એવા પ્રતાપજી રાઠોડ નવા વર્ષની શુભકામનાઓ સાથે ઠાકોર સમાજના પ્રગતિ માટે શિક્ષણ,ગ્રંથાલય અને છાત્રાલય નિર્માણ માટે તેમજ સમાજમાં ચાલતી બદી નાબૂદનું આહવાન કર્યું હતું અને ભવિષ્યની સમાજની યોજના જણાવી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા કેશાજી ઠાકોર શિક્ષણ એ ચેતનાની ખેતી છે એમ કહી સમાજના મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું ડૉ .પાર્થભાઈ ભટ્ટે શિક્ષણ અને કેળવણી વિશે અને મહેન્દ્રભાઈ ઠાકોરે પ્રાસંગીક ઉદ્દબોધન કર્યું હતું.
સમાજના ચાલતા મતભેદોને દૂર કરી સમગ્ર સાણંદ તાલુકા ઠાકોર સમાજ આજે એક મંચ પર આવી એકતાના દર્શન કરાવ્યા હતા
આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મનીષભાઈ દેત્રોજાએ કર્યું હતું.
Media supported by Media Co Ordinator Keshaji Sonaji Parmar. Phone +91 94294 10462.





