વિશ્વ યોગ દિવસ અંતર્ગત તા.૨૦-૬-૨૦૨૬ મનોદિવ્યાંગ બાળકો સાથે ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ફોર્ટ-જાયન્ટ્સ ગૃપ ઓફ કોહીનુર અમદાવાદના સહયોગમાં સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અખબાર નગર નવાવાડજ ખાતે યોજાયું હતું
ગાયત્રી પરિવાર નારણપુરા, સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ,લાયન્સ ક્લબ્સ ઓફ અમદાવાદ જોધપુર હિલ તથા ફોર્ટ,જાયન્ટ્સ ગ્રુપ ઓફ કોહીનુર અમદાવાદના સહયોગથી વિશ્વયોગ દિવસ અંતર્ગત શિબિરનું આયોજન મનોદિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક વિકાસશીલતાર્થે કરવામાં આવ્યું.તેમજ સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે નેનો ગાયત્રીયજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ યોગ ટ્રેનર શ્રીધનંજયભાઈ અને ભારતીબેન સોલંકીએ મનો દિવ્યાંગ બાળકોને યોગ કરાવ્યા હતા સમગ્ર કાર્યક્રમ તારીખ 20/06/26, શનિવાર,સવારે 10.30, સ્થળ: સ્મિત ચાઈલ્ડ ટ્રસ્ટ,આકાશદીપ એપાર્ટમેન્ટ,અખબાર નગર,નવા વાડજસર્કલ ખાતે રાખેલ હતો. મનોદિવ્યાંગ બાળકોને ફુલ સ્કેપ ચોપડા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ તરફથી આપવામાં આવ્યા દરેક બાળકોને તથા આમંત્રિતોને ભોજન પીરસવામાં આવ્યું. ગાયત્રી પરિવારના પરીજનો, આમંત્રિત મહેમાનો તથા વાલીગણ પણ હાજર રહ્યા હતા.