તા. ૨૩-૮-૨૦૨૫ શ્રાવણ વદ અમાસ શનિવાર સવારે ૧૦-૩૦ થી ૧-૦૦ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકોમાં સર્વાંગીં બૌધ્ધિક કૌશલ્ય અને આરોગ્ય વર્ધન તથા ભારતીય સાંસ્કૃતિક જાગૃતિ નિમિત્તે સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ નજીક,નવાવાડજ ખાતે શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ દિપયજ્ઞ પૂજન અર્ચન પૂર્વક ગાયત્રીમંત્રો-મહામૃત્યુંજ્ય મંત્રોના મંત્રોચ્ચાર ૐ નમ: શિવાય મંત્ર ધુનનું આયોજન આમંત્રિતો-વાલી મિત્રો-સ્ટાફની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું.કાર્યક્રમની પૂર્ણાહુતિ થયેથી સૌએ સમૂહમાં મનોદિવ્યાંગબાળકો સાથે મિષ્ઠાન સાથે સ્વાદિષ્ટ મધુર ભોજન પ્રસાદગ્રહણ કર્યોહતો.🌹🙏
Worldwide Views: 165

Read Time:1 Minute, 24 Second






