
લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી 2, જીવન તીર્થ-લોક સેવા કેન્દ્ર મહિલા બચત અને ધીરાણ સહકારી મંડળી- જાયન્ટ્સ ફાઉન્ડેશન અને ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા “એન્વાયરમેન્ટ વીક સેલિબ્રેશન”અન્વયે તા.૧૦-૪-૨૦૨૬ શુક્રવાર બપોરે ૩-૦૦ વાગે જીવનતીર્થ લોક સેવા કેન્દ્ર રામાપીરનો ટેકરો નવાવાડજ ખાતે,શહેરની સફાઈ કરતા,કાગળ તથા પ્લાસ્ટિક વીણીને પોતાનું ગુજરાન ચલાવતા 700 થી વધુ બહેનો માટે એન્વાયરમેન્ટ સેમિનારનું આયોજન કરેલ જેમાં દરેક બહેનોને ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પ.પૂ.ગુરુદેવ પં.શ્રીરામ શર્મા આચાર્યજી લિખિત સદ્ સાહિત્ય ધાર્મિક પુસ્તક તથા સત્ સંકલ્પ પત્ર,ગાયત્રી ચાલીસા,મંત્ર લેખન બુકોનું ફ્રી વિતરણ કનુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગાયત્રી પરિવારના ભાઈ-બહેનો દ્વારા સંચાલિત ગાયત્રીજ્ઞાન રથ મારફતે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા કરવામાં આવ્યું હતું.ર્ડો.સતિષભાઈ પટેલ,સીઈઓ નરોડા એનવાયર પ્રોજેક્ટ લિ.દ્વારા સુંદર માહિતી પૂરી પાડવામાં આવી તથા તેમના દ્વારા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું કમલેશભાઈ ડાભાણીએ જીવન તીર્થ લોક સેવા કેન્દ્રની માહિતી આપી હતી મુખ્યમહેમાન:-લા.અજયભાઈ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર(ઈલેક્ટ) અતિથિ વિશેષ:-લા.દિપક શાહ ગ્લોબલ સર્વિસ ટીમ ચેરમેન પ્રોજેકટ કોર્ડીનેટર:-લા.ગિરીશ પટેલ,લાયન્સ ક્લબ તથા જાયન્ટ્સ ગૃપના હોદ્દેદાર ગાયત્રી પરિવારના પરિજન ભાઈ બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેને તરબૂચનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.






