
આગામી ફાલ્ગુની પૂણિઁમાંએ પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોર શ્રી રાજા રણછોડરાયજીના દર્શનાર્થે જતાં લાખો પદયાત્રીઓની સુવિધાઓ જેવી કે રસ્તા, આરોગ્ય, સ્વચ્છતા, સલામતી સહિતની અન્ય સગવડો અંગે અને લાખો પદયાત્રીઓની ભોજન સહિત અન્ય સેવા આપતાં ભંડારાઓના પ્રતિનિધિઓની સંસ્થાના પ્રમુખ શ્રી હરિનભાઈ પાઠક અને સમિતિના સભ્યો શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી વાડીભાઈ પટેલ, શ્રી મયુરભાઈ દવે, શ્રી સમીરભાઈ સોની, શ્રી અતુલભાઈ પટેલ, શ્રી મૌલિકભાઈ પટેલ, શ્રી મફતભાઈ પટેલ સહિત અન્ય આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવીજીની મુલાકાત લીધી.
પદયાત્રીઓ માટે ઉપરોકત સુવિધાઓ સહિત અને ભંડારાવાળાઓની જરૂરિયાતો અંગે નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવીજી સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી પદયાત્રીઓ માટે રાજય સરકાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભંડારાવાળાઓના પ્રતિનિધિઓની મિટીંગ તા: ૨૨/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦વાગે કનીજ પાટીયા શ્રી રાજા રણછોડરાયજીના મંદિર ખાતે રાખવામાં આવી છે જરૂરથી પધારવા વિનંતી છે.






